મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તમાકુ મુક્તિ-કેન્સર જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરાશે


SHARE











મોરબી જીલ્લામાં તમાકુ મુક્તિ-કેન્સર જાગૃતિ માટે તાલુકાઓમાં સેમીનારનું આયોજન કરાશે

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની તમાકુ નિષેધ બાબતે કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.

તમાકુ નિષેધ કામગીરી સંદર્ભે સ્કૂલની આજુબાજુની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુની દુકાન હોય તે માટે તપાસ કરવામાં આવે છે. જે અન્વયે તમાકુ મુક્ત ઇન્સ્ટિટ્યૂટ હેઠળ ૨૧૪ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ બિલકુલ ચલાવી ન જ લેવાય તે બાબતે ખાસ સુચના કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી. જિલ્લામાં કેન્સર તપાસ અને નિદાનની ઝુંબેશ હેઠળ ચાલી રહેલી કામગીરી અન્વયે નિદાન કેમ્પમાં પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર અને તેમની સ્થિતિનું સતત ફોલોઅપ લેવા તેમજ તાલુકાઓમાં તમાકુ મુક્તિ તેમજ કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

સંચારી રોગચાળા અટકાયત અંગેની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની સંચારી રોગચાળા અટકાયત અંગેની જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળા વિશે સમીક્ષા કરી પાણીજન્ય રોગચાળા અટકાયત માટે પાણીના સંપ પર સઘન ક્લોરીનેશનની કામગીરી વધારવા જણાવવામાં આવ્યું હતું. આગામી વર્ષાઋતુ સંદર્ભે રોગચાળા અટકાયતી કામગીરીનું સુચારૂ આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું. હિપેટાઇટિસ, ટાઇફોઇડ, કોલેરા સહિતના રોગની જિલ્લાની સ્થિતિ અંગે સમીક્ષા કરી પાઇપલાઇન લીકેજ નોંધણી, શોધખોળ અને રીપેરીંગ કામગીરી બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.






Latest News