મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ


SHARE







ટંકારામાં સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ, આતંકીઓને આકરી સજાની માંગ

ટંકારામાં આજે સમસ્ત હિંદુ સમાજની આગેવાની હેઠળ મૌન રેલી યોજાઇ હતી અને હુમલાની ઘટનાને વખોડી કાઢીને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરવામાં આવી છે સમગ્ર ભારત દેશની અંદર જમ્મુમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા શહેરની અંદર સમસ્ત હિન્દુ સમાજની આગેવાની હેઠળ આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પટેલ એસોસિએશન તેમજ જુદા જુદા વેપારી એસોસિયેશન સહિતના એસોસિયેશન દ્વારા ટેકો આપવામાં આવેલ હતો અને બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા આ ઉપરાંત ટંકારાના સ્થાનિક લોકો પણ મૌન રેલીમાં મોટા પ્રમાણમાં જોડાયા હતા અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી આ મૌન રેલી નીકળી હતી અને આ રેલીમાં જોડાયેલા લોકો દ્વારા જે શખ્સોએ આતંકી હુમલો કર્યો હતો અને નિર્દોષ લોકોની હત્યા કરેલ છે તેની સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હુમલાની આ ઘટનાને સહુકોઈએ વખોડી કાઢી હતી






Latest News