મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

સ્ટોપ ટેરેરિઝમ, જમ્મુના હુમલામાં સંડોવાયેલા શખ્સોને આકારી સજા કરો: મોરબીના સુન્ની મુસ્લિમ સમાજની માંગ


SHARE











સ્ટોપ ટેરેરિઝમ, જમ્મુના હુમલામાં સંડોવાયેલા શખ્સોને આકારી સજા કરો: મોરબીના સુન્ની મુસ્લિમ સમાજની માંગ

મોરબીમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આજે જુના બસ સ્ટેશન પાસે મસ્જિદ નજીક આતંકવાદના પોસ્ટરનું દહન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આતંકવાદી હુમલો કરનારા આરોપીઓને આખરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

જમ્મુના પહેલગામ ખાતે ગત તારીખ 22 ના રોજ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો અને 26 જેટલા પ્રવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને આટલું જ નહીં તે લોકોને તેમનો ધર્મ પૂછીને તેમજ કપડાં કાઢીને ચેક કર્યા બાદ ગોળી મારવામાં આવી હતી જેથી આ હુમલાની સમગ્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ નિંદા થઈ રહી છે ત્યારે મોરબીમાં આજે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઈદગા ખાતે એકત્રિત થઈને જુના બસ સ્ટેશન પાસે આવેલ મસ્જિદ નજીક “સ્ટોપ ટેરેરિઝમ” ના બેનરને સળગાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ ત્યાંથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધીની એક મોન બાઇક રેલી યોજાઇ હતી અને ત્યાર બાદ અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે મુસ્લિમ સમાજના આગેવાન ગુલામહુસેન પીલુડીયા સહિતનાઓએ કહ્યું હતું કે “આતંકવાદીનો કોઈ ધર્મ હોતો જ નહીં જેથી આ હુમલામાં સંડોવાયેલા શખ્સોને વહેલી તકે વીણી વીણીને શોધી કાઢવામાં આવે અને તેઓને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

આ ઉપરાંત મોરબીના સુન્ની મુસ્લિમ સમાજ ધર્મગુરુ આરીફ બાપુએ કહ્યું હતું કે, જે વ્યક્તિ કુરાનને અનુસરે છે તે જ મુસ્લિમ છે બાકી આવી રીતે ધર્મ પૂછીને ગોળી માટે તે મુસલમાન નથી જેથી આ આતંકી હુમલામાં જે લોકોની હત્યા થયેલ છે તેઓના આત્માની શાંતિ માટે મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા દુકરે છે અને જે લોકોના જીવ ગયા છે તેમના પરિવારમાંથી કોઈ કે વ્યક્તિને સરકારી નોકરી સહિતની તમામ સરકારી સહાય આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News