મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી


SHARE











મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે પહેલગામમાં થયેલ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો તે ઘટનાને મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને વડાપ્રધાન દ્વારા દોષિતોને કાયદાનું ભાન કરાવવામાં આવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવેલ હતો અને નિર્દોષ પ્રવાસી ઉપર કાયરતાપૂર્ણ હુમલો કરીને પરિવાર સાથે ફરવા માટે આવેલા લોકોમાંથી 26 જેટલા નિર્દોષ પ્રવાસીની હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા છે ત્યારે મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયા દ્વારા પ્રત્યેક ભારતવાસી માટે અત્યંત પીડાદાયક આ હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવેલ છે અને હુમલાના બનાવમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને ભગવાન શાંતિ આપે અને તેઓના પરિવારના સભ્યોને દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ ભગવાન આપે તેવી પ્રાર્થના કરેલ છે અને હુમલાની પાછળ જે કોઈ પણ ગુનેગાર હોય તેની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ જલ્દીથી જલ્દી કાયદાની ભાષામાં જવાબ આપશે અને કાયદાનું ભાન કરાવશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News