મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો


SHARE











મોરબી આયુષ હોસ્પીટલના બાળરોગ વિભાગે ઈમરજન્સી સારવાર આપીને ૮ વર્ષના બાળકને ભયમુક્ત કર્યો

મોરબીની આયુષ હોસ્પીટલમાં આધુનિક સારવાર હવે મળી રહી છે ઈમરજન્સી સહિતની સેવાઓ મળતા દર્દીઓને હવે રાજકોટ કે અમદાવાદ ધક્કો ખાવાની જરૂરત પડતી નથી અને ગંભીર રોગમાં કે પછી ઈમરજન્સી જેવી સ્થિતિમાં યોગ્ય સારવાર મળી રહે છે

૮ વર્ષ ના બાળક ને રમતા રમતા હાથમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું ત્યાર બાદ તેને ખેંચ આવી હતી અને અર્ધ ભાન અવસ્થા થઈ ગયેલ હતી. ત્યાર બાદ બાળકને આયુષ હોસ્પિટલ ના ઇમરજન્સી વિભાગ માં સારવાર માટે લાવેલ. ત્યાં તપાસ કરતા જણાયું કે બાળક બેભાન અવસ્થા માં હતું અને પોતાના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલ હતા. આયુષ હોસ્પિટલ ની બાળરોગ વિભાગની ટીમ એ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલ હતી અને તેને શ્વાસ ના મોટા મશીન (વેન્ટિલેટર) પર રાખવામાં આવેલ હતું. બે દિવસ ની સઘન સારવાર બાદ બાળક ની તબિયત નોર્મલ થઈ ગયેલ હતી એટલે બાળક ને તંદુરસ્ત રજા કરવામાં આવેલ હતી.દર્દીના પરિવાર દ્વારા આભાર માનવામા આવ્યો.






Latest News