સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું: દીકરીનું મોત, માતા સારવારમાં

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતી મહિલાએ તેમની દીકરી સાથે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે ૧૯ વર્ષની દીકરીનું મોત નીપજ્યું છે.જ્યારે માતાને બચાવીને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે.જોકે માતા-પુત્રીએ સજોડે કયા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું ? તે કારણ હજુ અકબંધ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અવધ-૧ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ બોપલિયાના પત્ની કંચનબેન વિનોદભાઈ બોપલિયા તથા ૧૯ વર્ષની દીકરી કુંજનબેન વિનોદભાઈ બોપલિયાએ આજે તા.૭--૪ ના બપોરના સમયે કોઈ કારણોસર મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવ્યું હતું.જેથી પાણીમાં ડૂબી જવાના કારણે કુંજનબેન વિનોદભાઈ બોપલિયા (૧૯) નું મોત નીપજ્યું હતું. જોકે કંચનબેનને બચાવીને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા. અને આપઘાતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં કંચનબેનના પિતરાઈ ભાઈ જયેશભાઇ પાસેથી મળતી વિગત પ્રમાણે વિનોદભાઈ બોપલિયા ટાઇલ્સનું માર્કેટીંગનું કામકાજ કરે છે અને તેમની એકની એક દીકરી કુંજનબેન બોપલિયા બીએસસીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.જોકે માતા-પુત્રીએ સજોડે ક્યા કારણોસર મચ્છુ-૩ ડેમમાં ઝંપાવ્યું હતું ? તે હજુ સુધી સામે આવ્યું નથી.જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News