મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 413 એમસીએફટી પાણી છોડ્યું


SHARE













મોરબીમાં મચ્છુ-2 ડેમના દરવાજા બંધ કરાયા: 41 કલાકમાં 431 એમસીએફટી પાણી છોડ્યું

મોરબીના મચ્છુ-2 ના દરવાજા બદલવા માટેની કામગીરી કરવામા આવી રહી છે જેથી કરીને ડેમમાં રહેલ પાણીને ખાલી કરવા માટે બુધવારે બપોરે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જે દરવાજાને 41 કલાક સુધી ખુલ્લા રાખીને ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે અને હવે તે દરવાજાઓને બંધ કરવામાં આવ્યા છે.

મોરબીના મચ્છુ -2 ડેમના કુલ 38 દરવાજા છે જે પૈકીના પાંચ દરવાજા ગત વર્ષે બદલાવવામાં આવેલ છે અને બાકીના 33 દરવાજાને એકી સાથે બદલવા માટેની કામગીરી આ વર્ષે શરૂ કરવામાં આવી છે જેથી તા. 2/2/2025 ના રોજ બપોરે ચાર વાગ્યાથી મચ્છુ-2 ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને કુલ મળીને 41 કલાક સુધી દરવાજાઓને ખુલ્લા રાખીને આ ડેમમાંથી કુલ મળીને 413 એમસીએફટી પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવામાં આવેલ છે જો કે, મચ્છુ-2 ડેમના અધિકારી ભાવિનભાઈ પનારાએ હાલમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આ ડેમના જે દરવાજાને પાણી ખાલી કરવા માટે ખોલવામાં આવ્યા હતા તેને સવારે આજે 9:30 કલાકે બંધ કરવામાં આવેલ છે અને આજની તારીખે મોરબીના મચ્છુ-2 ડેમમાં 16.77 ટકા પાણી ભરેલ છે જેથી આગામી ચોમાસા સુધી આ ડેમમાંથી પીવા માટેનું પાણી મળી રહેશે.

ડેમના દરવાજા ખોલવાથી ખેડૂતો-અબોલ જીવને ફાયદો

મચ્છુ-2 ડેમમાંથી જે પાણી નદીમાં છોડવામાં આવ્યું તે પાણી દરિયામાં વેડફાઇ તે પહેલા મચ્છુ-2 ડેમથી લઈને દરિયા સુધીના નદીના પટમાં આવેલ એક કે બે નહીં નવ જેટલા ચેકડેમો ભાર ઉનાળે ભરાઈ ગયેલ છે જેથી કરીને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તેમાંથી મળી રહેશે. અને આટલું જ નહીં મચ્છુ-3 ડેમમાંથી કેનાલ મારફતે પાણીને માળિયા તાલુકાના મોટાભેલાનવાગામ અને સરવડ સુધી પહોચડવામાં આવેલ છે જેથી કરીને અબોલજીવને પીવા માટે અને ગામના લોકોને વપરાશ માટે મચ્છુનું પાણી કામ આવશે.






Latest News