મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE















વાંકાનેરના રાતાવિડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાની બાજુમાં પાણીના તલાવડામાં યુવાન ડૂબી ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવીને તેના મૃતદેહ બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ગઈ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલ રાતાવિરડા ગામની સીમા આવેલ લોનિક સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુસંગ ભવાનસંગ ખાટ (44) નામનો યુવાન કારખાનાની બાજુમાં આવેલ પાણીના તલાવડામાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેને લઈ જવામાં આવેલ છે આ બનાવની જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (44)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News