મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ


SHARE













મોરબીમાં મુસાફરો માટે રાજકોટ સુધી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવાની માંગ

મોરબી રાજકોટ વચ્ચે મુસાફરોની અવાર જવર વધુ રહે છે ત્યારે મુસાફરોની સગવડ માટે ભુજ રાજકોટ ઈન્ટરસીટી ટ્રેન અથવા ડેમ ટ્રેન ચાલુ કરવાની માંગ મોરબીમાં રહેતા આગેવાને કરેલ છે.

મોરબીમાં રહેતા રમેશ બી. રબારીએ હાલમાં રાજકોટ રેલ્વે રેન્જ વિભાગના ડી આર.એમ.ને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તાજેતરમાં ભુજ-રાજકોટ સ્પેશીયલ ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે. જે ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે થાય છે, તેમજ આ ટ્રેન ટાઈમ ટેબલ વેપારી વર્ગ, નોકરીયાત વર્ગને અનુકુળ આવે તેમ નથી. જેથી કરીને આ ટ્રેનને ટ્રાફીક મળવો મુશ્કેલ રહેશે. આજ ટ્રેન અગાઉ ચાલુ હતી ત્યારે આ ટ્રેનને ટ્રાફીક મળેલ હતો નહી કારણ કે તેનો ટાઈમ ટેબલ યોગ્ય ન હતો. જો આ ટ્રેનનો ટાઈમ મોરબીથી રાજકોટ ઉપડવાનો સવારે ૮ થી ૯ વાગ્યાનો રાખવામાં આવે તો નોકરીયાતમ, વેપારી અને વિદ્યાર્થીઓને અનુકુળ આવે તેમ છે. તેમજ રાજકોટથી ટ્રેનનો સમય સાંજે ૬થી ૭ વાગ્યાનો રાખવામા આવે તો લોકોને લાભ મળે તેમ છે. અને આ ટ્રેન સ્પેશીયલ હોવાથી તેનું ભાડુ વધારે છે જે સામાન્ય માણસને પરવડે તેમ નથી જેથી ઈન્ટરસીટી અથવા ડેમુ ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. અને સિરામિક સહિતના ઉદ્યોગનું હિત ધ્યાને રાખીને લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવી જોઈએ. તેવી પણ માંગ કરેલ છે.






Latest News