મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક સેફ્ટી ટેન્કમાં પડી જવાથી યુવાનનું મોત થતાં કારખાનના જવાબદાર માણસો સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક સિરામિક કારખાનામાં કોઈ પણ પ્રકારના સેફટી કે સલામતીના સાધનો આપ્યા વગર સેફ્ટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી પાણી ટેન્કરથી ખાલી કરતા હતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ કારખાનાના જવાબદાર વ્યક્તિઓ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના રહેવાસી અને હાલમાં રાજકોટ ખાતે આવેલ રામાપીર ચોકડી 150 ફૂટ રીંગ રોડ પાસે શાસ્ત્રીનગર શેરી નં-11 માં રહેતા જયંતીભાઇ દુદાભાઇ લઢેર (55) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગ્રેસર્ટ સીરામીક કારખાના જવાબદાર માણસો સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 15/3 ના રોજ બપોરના 4:30 વાગ્યાના અરસામાં મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામ નજીક એડીકો સીરામીક કારખાનાની અંદર કોઈપણ પ્રકારના સેફટી કે સલામતીના સાધનો આપ્યા વગર ગ્રેસર્ટ સીરામીક કારખાનાની સેફટી ટેન્કમાંથી ગંદુ પાણી ભરાવી અડીકોન સીરામીક કારખાનાની સેફટી ટેન્કમાં ગંદુ પાણી ટેન્કરથી ખાલી કરાવતા હતા દરમિયાન સેફટી ટેન્કમાં પડી જવાના કારણે ફરિયાદીના દીકરા અજય જયંતીભાઈ લઢેર (25) નું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News