મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે ડબલ સવારી બાઇક આડે રોજડું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત


SHARE













મોરબીના સનાળા ગામ પાસે ડબલ સવારી બાઇક આડે રોજડું આવતા સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે મેડિકલ કોલેજ સામેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈકની આડે અચાનક રોજડું આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થઈ ગયું હતું અને બાઈક ચાલક સહિત બંને વ્યક્તિને ઇજા થયેલ હતી જેમાં બાઇક ચાલકને વધુ ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ગાભા ગામના રહેવાસી કરસનભાઈ દેવશીભાઈ વાઢેર (55) ની ફરિયાદ લઈને હાલમાં તેના મૃતક દીકરા જીતેન્દ્રભાઈ કરસનભાઈ વાઢેર (23) રહે. ગાભા ગામ તાલુકો તાલાળા વાળા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ સનાળા ગામ પાસે નવી બની રહેલ મેડિકલ કોલેજ સામે રસ્તા ઉપર થી ફરિયાદીનો દીકરો તેનું બાઈક નંબર જીજે 32 એન 7141 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે બાઈકમાં ચિરાગભાઈ પણ બેઠેલ હતો અને બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ચિરાગભાઈને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ફરિયાદીના દીકરા જીતેન્દ્રભાઈને માથામાં તથા બંને હાથમાં ગંભીર જાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ પાસે આવેલ જોસનગર વિસ્તારમાં રહેતા તોફીક ઈસ્માઈલભાઈ કલાડિયા (27) નામના યુવાનને કોઈ કારણોસર લાતી પ્લોટ શેરી નં- 7 પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

બાળકી સારવારમાં

મોરબીમાં રહેતા મોહનભાઈ પરમારની દીકરી ભાવના (10) તેના પિતા સાથે બાઈકમાં પાછળના ભાગે બેસીને જઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News