મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર


SHARE







મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

મોરબીના સનાળા ગામે મહિલાના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને પરણીતાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં ભાઈએ તેની બહેનને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે મૃતક મહિલાના પતિની ધરપકડ કરી હતી જે જેલમાં હોય તેણે પોતાના વકીલ મારફતે જામીન અરજી કરી હતી જેને કોર્ટે શરતોને આધીન મંજૂર કરેલ છે

આ કેસની મળતી માહિતી મુજબ ભરૂચના રહેવાસી કિરણભાઈ શશીકાંતભાઈ વસાવા (32)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસમુખભાઈ વાલજીભાઈ પટેલ અને તેના ભત્રીજા જયદીપભાઇ પટેલ સામે ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીની બહેન રેખાબેન સાથે મારકૂટ કરીને ચારિત્ર્યની શંકા કરીને મરવા માટે મજબૂર કરી છે જેથી કરીને પોલીસે મહિલાને મારવા મજબૂર કરવા અને એટ્રોસિટીના ગુનામાં આરોપી પતિ હસમુખભાઈ વાલજીભાઈ સીરવીની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ તેના વકીલ મનીષભાઈ (ગોપાલ) ઓઝા મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલો ધ્યાને લઈને કોર્ટે આરોપીના વકીલની દલીલોને માન્ય રાખી આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.






Latest News