મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટમાં તાવની બીમારી સબબ મજૂર યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપુર રોડ ઉપર સિરામિક યુનિટમાં તાવની બીમારી સબબ મજૂર યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સુકુન સીરામીક નામની ઇન્ડસ્ટ્રીઝમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતાં રામવિરભાઈ બ્રિજેશભાઈ કેવટ નામના ૩૦ વર્ષીય મજુર યુવાનને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હોય તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો ત્યાં રાજકોટ ખાતે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને તપાસના કાગળો ત્યાંથી આવતા હાલ મોરબી તાલુકા પોલીસ મથકના મહીલા એએસઆઇ જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરેલ છે.

પતિ સાથે બોલાચાલી થતાં લાગી આવતાં ઝેરી દવા પી લેતા પરિણીતા સારવારમાં

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હિરાપર ગામે ભવાનભાઈ કરશનભાઈ ફેફરની વાડીએ રહીને મજૂરીકામ કરતાં અનિલભાઈ કરસનભાઈ વસુમીંયા જાતે આદિવાસીના પત્ની અનિતાબેન (ઉંમર વર્ષ ૨૨) એ ગઈ કાલે ઝેરી દવા પી લેતા તેઓને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.પોલીસને જાણ થતા મોરબી એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસ મથકના આઇ.ટી.જામને બનાવની જાણ કરતા તેઓએ કરેલી તપાસમાં ખૂલ્યું હતું કે, અનિતાબેનનો લગ્નગાળો બે વર્ષનો છે અને હાલ તેઓ સગર્ભા છે અને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી તે વાતનું મનમાં લાગી આવતા અનિતાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું. મુળ મધ્યપ્રદેશના અનિલભાઈ પોતાના પત્ની અનીતાબેન સાથે ટંકારાના હીરાપર ગામે ભવાનભાઈની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરે છે.

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી નીલકમલ સોસાયટીમાં રહેતા દિવ્યેશ જગદીશભાઈ સાવરીયા નામના ૨૪ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના શનાળા રોડ ન્યુ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા આનંદ સુરેશભાઈ અઘારા નામના ૨૦ વર્ષીય યુવાનને પણ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના રહેવાથી હિરેનભાઈ કવૈયા નામના ૨૮ વર્ષીય યુવાનને નવલખી રોડ ઉપર ખાખરાળા ગામ નજીક બાઇક સ્લીપ થઇ જવાના બનેલા બનાવમાં ઇજાઓ થતાં તેને પણ ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો.

 






Latest News