મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત


SHARE











મોરબી એ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની ગૃહમંત્રીને રજૂઆત

મોરબી સીટીમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે જો કે, તેની સામે પોલીસ સ્ટાફમાં કોઈપણ વધારો કરવામાં આવી રહ્યો નથી જેથી પોલીસ કામના ભારણ હેઠળ કામ કરેલ છે જેથી વહેલી તકે મોરબી એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્ટાફની ભરતી કરવામાં આવે તે માટે મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબી સીટી/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ હાલમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી ઔદ્યોગિક શહેર છે અને દિન પ્રતિદિન વસ્તી વધી રહી છે અને ખાસ કરીને અન્ય રાજયોમાંથી મજુરો પોતાની રોજીરોટી માટે મોટા પ્રમાણમા મોરબી આવી રહ્યા છે જેથી કરીને સીટીની વસ્તી વધતી જાય છે. જો કે, પોલીસ પાસેથી જાણવામાં આવ્યા પ્રમાણે મોરબી સીટી એ અને બી ડીવીઝનમાં સ્ટાફની ઘટ છે જેને કારણે કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મુશ્કેલી ઉભી થાય તે સ્વાભાવિક છે. અને મોરબીના રવાપર તેમજ શનાળા સહિતના વિસ્તારોમાં વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કોઈપણ જાતની અવ્યસ્થા ન ઉભી થાય તે માટે પોલીસ સ્ટાફમાં વધારો કરવાની તાતી જરૂરીયાત છે. વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, પોલીસ અવાર નવાર સભા, સરઘસ સામાજિક કાર્યક્રમો વીગેરેમાં રોકાય છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થા સામે અનેક પડકારો ઉભા થાય છે. અને કામના બોજાને કારણે જો પોલીસ સ્ટાફનો મેડીકલ ચેક અપ કરાવવામાં આવે તો ઘણા બધા બી.પી. કે ડાયાબીટીસના દર્દી પણ નીકળે તેમ છે. જેથી કરીને પોલીસ સ્ટાફની સુખાકારી માટે વહેલી તકે સ્ટાફની ભરતી કરવામાં આવે તે જરૂરી છે.






Latest News