મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE











કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છથી જોધપુર ટ્રેન શરૂ થવા માટેની લાંબા સમયથી પ્રવાસી જનતાની માંગણી હતી જેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર્ન રેલ્વે મંત્રીને લોકોની રજુઆત પહોચાડી હતી અને રેલ્વે વિભાગે ગાંધીધામથી જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પ્રવાસી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  

કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિ-રીતરિવાજોમાં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેકને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહમાં ત્રણ વખત ચાલતી ગાંધીધામ-જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલયની પહેલને કચ્છની જનતા સંસ્થાનો ચેમ્બર અને સાંસદ તથા જન પ્રતિનિધિઓની માંગણીઓને લક્ષમાં લઇ ગાંધીધામ જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ટ્રેન શરૂ થતાં કચ્છ-ગુજરાત રાજસ્થાનની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુરને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલયમાં રજુઆતની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News