મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE











કચ્છથી જોધપુરની દૈનિક ટ્રેન શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી: સાંસદ વિનોદભાઇ ચાવડા

કચ્છથી જોધપુર ટ્રેન શરૂ થવા માટેની લાંબા સમયથી પ્રવાસી જનતાની માંગણી હતી જેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્ર્ન રેલ્વે મંત્રીને લોકોની રજુઆત પહોચાડી હતી અને રેલ્વે વિભાગે ગાંધીધામથી જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પ્રવાસી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.  

કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિ-રીતરિવાજોમાં ઘણી બધી સમાનતા છે. અને વ્યાવહારિક સબંધો એકમેકને મળતા છે. પ્રસંગોપાત અને વેપાર વણજ ને કારણે આવન જાવન રહે છે. સપ્તાહમાં ત્રણ વખત ચાલતી ગાંધીધામ-જોધપુર ટ્રેનને હવે દૈનિક ચાલુ કરવાની રેલ્વે મંત્રાલયની પહેલને કચ્છની જનતા સંસ્થાનો ચેમ્બર અને સાંસદ તથા જન પ્રતિનિધિઓની માંગણીઓને લક્ષમાં લઇ ગાંધીધામ જોધપુર ટ્રેન દૈનિક કરવા માટે આનંદની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, આ ટ્રેન શરૂ થતાં કચ્છ-ગુજરાત રાજસ્થાનની જનતામાં આનંદની લાગણી થઇ છે. આ ટ્રેન ગાંધીધામથી રાત્રે ૧૧:૫૫ વાગ્યે રવાના થઇ સવારે ૯:૩૦ વાગ્યે જોધપુર પહોંચશે અને જોધપુર થી રાત્રે ૮:૫૦ વાગ્યે રવાના થઇ સવારે ૬:૫૦ વાગ્યે ગાંધીધામ પહોંચશે. કચ્છ અને રાજસ્થાન જોધપુરને જોડતી આ ટ્રેન માટે ખુબજ લાંબા સમયની માંગણી, મૌખીક અને લેખીત રેલ્વે મંત્રાલયમાં રજુઆતની ફલશ્રુતિ દૈનિક ટ્રેન શરૂ કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News