મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીમાં સાસુ-સાળાએ ફોન ઉપર ડરાવી-ધમકાવીને ટોર્ચર કરતાં યુવાને કર્યો આપઘાત: માતાએ નોંધાવી ફરિયાદ

મોરબીના વીસીપરામાં આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની ઓરણીમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક યુવાનની માતાએ તેના દીકરાના સાસુ અને સાળાની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના નળિયાના કારખાનાની મજૂરની ઓરડીમાં રહેતા રાજેશભાઈ કાંતિભાઈ સોલંકી (22)પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના માતા ગીતાબેન કાંતિભાઈ સોલંકી (45)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરાના સાસુ હંસાબેન જગદીશભાઈ ડાભી અને સાળા દેવાભાઈ જગદીશભાઈ ડાભી રહે. બંને શક્તિનગર હસનપર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના દીકરા રાજેશભાઈના લગ્ન હંસાબેનની દીકરી પૂજાબેન સાથે દોઢેક વર્ષ પહેલા થયા હતા અને પૂજાબેન હાલમાં પિયર માતા-પિતાના ઘરે રિસામણે છે અને અવારનવાર તેડવા જવા છતાં પૂજાબેનને સાસરીમાં મોકલતા ન હતા અને ખોટી ચડામણી કરી બીજુ મકાન લેવા માટે દબાણ કરી ફરિયાદીના દીકરાને ખોટી રીતે ટોર્ચર કરતા હતા તેમજ મોબાઇલ ફોન દ્વારા ફરિયાદીના દીકરાને તેના સાળા દેવાભાઈ તથા તેના સાસુ હંસાબેને ગાળો આપી હતી અને ધમકાવી ડરાવીને મરવા માટે મજબૂર કર્યો હતો જેથી ફરિયાદીના દીકરાએ ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માત

ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામ પાસે ડેમી ડેમના નાલા પાસેથી ગાડી નંબર જીજે 36 એલ 3047 લઈને જાવેદ ઈસ્માઈલભાઈ સૈચા (32) રહે. રણછોડનગર સાઈબાબા મંદિર પાસે મોરબી વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેફી પીણું પીધેલી હાલતમાં પોતાની ગાડી ચલાવીને પોતાની તથા અન્ય લોકોની જિંદગી જોખમાઈ તે રીતે લાયસન્સ વગર વાહન ચલાવ્યું હતું અને વાહન અકસ્માત કરીને વાહનમાં નુકસાન કર્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News