મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ


SHARE











મોરબી જીલ્લામાં ખેતીના પાકને થયેલ નુકશાનીનો સર્વે કરવા બ્રિજેશ મેરજાનો આદેશ

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા દિવસ દરમિયાન કમોસમી વરસાદ પડયો છે જેથી કરીને ખેડૂતોને ખેતીના પાકમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી દ્વારા જીલ્લાના ખેતીવાડી અધિકારી અને તાત્કાલીક સર્વે કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી વળતર મળે તે માટે યોગ્ય કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી અને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડયો છે ત્યારે ખેડૂતના ખેતરમાં કપાસ મગફળી એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલમાં જ્યારે રાજ્યના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશ મેરજા મોરબી જીલ્લામાં છે ત્યારે ખેડૂતોના પાકને નુકશાન થયું હોવા અંગેનું તેના ધ્યાન પર આવ્યું છે જેથી કરીને તેઓએ મોરબી જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના જવાબદાર અધિકારીને તાત્કાલીક સર્વે કરવા માટે આદેશ કર્યો છે અને ખેડૂતોને સરકાર તરફથી યોગ્ય વળતર મળે તે માટે પણ યોગ્ય કરવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીએ જણાવ્યું છે






Latest News