મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા


SHARE











મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા

મોરબીમાં ત્રાજપર ખારી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,300 ની રોકડ સાથે ચારેય અટકાયત કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી પાછળ આવેલ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવજીભાઈ બાબુભાઈ મકવાણા (58), શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (29) અને નિમુબેન રાજેશભાઈ સનુરા (55) રહે ત્રણેય ત્રાજપર મોરબી તેમજ મધુબેન દિલીપભાઈ પાટડીયા (45) રહે. પીપળી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં
મોરબીના રવાપર (નદી) ગામે રહેતા અને વાડીએ મજૂરી કામ કરતા પરિવારના સંતોષબેન લોકેશભાઈ માવી નામની ૩૨ વર્ષની મહિલાએ કોઇ કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એન.જે.ખડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.મોરબીના રવાપર ગામે રહેતા નવઘણભાઈ અમરશીભાઈ નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ત્રાજપર ચોકડી પાસે બાઈક સ્લીપ થઇ જતા ઈજા થતા સારવારમાં શઇ જવાયો હતો.

વાહન અકસ્માત
મોરબીના ખાનપર ગામના કેશવજીભાઈ ઓધવજીભાઈ નામના ૬૪ વર્ષના આધેડ ચાંચાપરથી પરત ઘરે જતા હતા.ત્યારે બાઈક અને ટ્રેકટર સાથે અથડામણ થતાં ઇજા પામતા સારવારમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા






Latest News