જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા


SHARE











મોરબીમાં ત્રાજપર પાસે જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર પકડાયા

મોરબીમાં ત્રાજપર ખારી પાછળ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 10,300 ની રોકડ સાથે ચારેય અટકાયત કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ખારી પાછળ આવેલ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે તેવી માહિતી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવજીભાઈ બાબુભાઈ મકવાણા (58), શૈલેષભાઈ દેવજીભાઈ મામેજા (29) અને નિમુબેન રાજેશભાઈ સનુરા (55) રહે ત્રણેય ત્રાજપર મોરબી તેમજ મધુબેન દિલીપભાઈ પાટડીયા (45) રહે. પીપળી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,300 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દવા પી જતા સારવારમાં
મોરબીના રવાપર (નદી) ગામે રહેતા અને વાડીએ મજૂરી કામ કરતા પરિવારના સંતોષબેન લોકેશભાઈ માવી નામની ૩૨ વર્ષની મહિલાએ કોઇ કારણસર ઝેરી દવા પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એન.જે.ખડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.મોરબીના રવાપર ગામે રહેતા નવઘણભાઈ અમરશીભાઈ નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ત્રાજપર ચોકડી પાસે બાઈક સ્લીપ થઇ જતા ઈજા થતા સારવારમાં શઇ જવાયો હતો.

વાહન અકસ્માત
મોરબીના ખાનપર ગામના કેશવજીભાઈ ઓધવજીભાઈ નામના ૬૪ વર્ષના આધેડ ચાંચાપરથી પરત ઘરે જતા હતા.ત્યારે બાઈક અને ટ્રેકટર સાથે અથડામણ થતાં ઇજા પામતા સારવારમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા






Latest News