મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE











મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલ શખ્સોની પાસા દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે અને તેને મંજૂર કરવામાં આવે એટ્લે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટમાં દુધની ડેરી નજીક રહેતા યાસીન રહીમભાઈ સમા (ઉમર ૩૧) વિરુદ્ધ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.જેથી કરીને રાજકોટથી તેને હસ્તગત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.

મારામારમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં નજીવી વાતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કરિયાણાની દુકાને બાકી પૈસા મુદ્દે બોલાચાલી રકજક થઈ હતી.જેમાં સામસામે નળીયા તથા ઇંટ વડે મારામારી થતાં ભરતભાઇ બાલાભાઈ દાફડા (૪૫) રહે.ઇન્દિરાનગર તથા તે વિસ્તારના જ હરેશભાઈ ભુરાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન વચ્ચે તા.૬-૨ ના રાત્રીના આઠેક વાગ્યે આ મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બંનેને ઈજા થતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

માળીયા મીંયાણા ખાતે રહેતા સબીનાબેન નિઝામભાઈ ફકીર નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેણીને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મૂળ એમપીની અને હાલ મોરબી ખાતે રહેતી રેખાબાઈ શ્રીરામભાઈ ડાઇમા નામની ૩૭ વર્ષીય મહિલા રાજકોટ હાઇવે લજાઈ-વીરપર વચ્ચે સાયકલમાં બેસીને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા.બંને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી






Latest News