મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE







મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલ શખ્સોની પાસા દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે અને તેને મંજૂર કરવામાં આવે એટ્લે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટમાં દુધની ડેરી નજીક રહેતા યાસીન રહીમભાઈ સમા (ઉમર ૩૧) વિરુદ્ધ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.જેથી કરીને રાજકોટથી તેને હસ્તગત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.

મારામારમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં નજીવી વાતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કરિયાણાની દુકાને બાકી પૈસા મુદ્દે બોલાચાલી રકજક થઈ હતી.જેમાં સામસામે નળીયા તથા ઇંટ વડે મારામારી થતાં ભરતભાઇ બાલાભાઈ દાફડા (૪૫) રહે.ઇન્દિરાનગર તથા તે વિસ્તારના જ હરેશભાઈ ભુરાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન વચ્ચે તા.૬-૨ ના રાત્રીના આઠેક વાગ્યે આ મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બંનેને ઈજા થતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

માળીયા મીંયાણા ખાતે રહેતા સબીનાબેન નિઝામભાઈ ફકીર નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેણીને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મૂળ એમપીની અને હાલ મોરબી ખાતે રહેતી રેખાબાઈ શ્રીરામભાઈ ડાઇમા નામની ૩૭ વર્ષીય મહિલા રાજકોટ હાઇવે લજાઈ-વીરપર વચ્ચે સાયકલમાં બેસીને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા.બંને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી






Latest News