મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE













મોરબીની પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબીના રંગપર ગામ પાસે આવેલ કારખાના લેબર કવાર્ટરમાં રહેતો યુવા પાવડિયારીની તરફ જઈ રહ્યો હતો દરમિયાન સાપર ગામની સીમમાં પાવડિયારી કેનાલ નજીક ગંદા પાણીની ગટરમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવાનોનો કોહવાઈ ગયેલ મૃત્યુ પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તેના મૃતદેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકની સાથે રહેતા તેના સગા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં કેસવાનંદ મિનરલ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો કૈલાશ ભટુભાઈ ડાવર (45) નામના યુવાનનો શાપર ગામની સીમમાં પાવળીયારી કેનાલ નજીક સિરામિક કારખાના સામે રોડની બાજુમાં ભરેલ ગંદા પાણીની ગટરમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વિશાલ કૈલાશભાઈ ડાવર (21) રહે. હાલ કેશવાનંદ મિનરલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રંગપર મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ગત તા. 31/1 ના રોજ બપોરે 3:30 વાગ્યાના અરસામાં મૃતક યુવાન ઘરેથી પાવડીયારી જવા માટે નીકળ્યો હતો ત્યારબાદ ઘરે પરત આવ્યો ન હતો અને તેનો કોહવાઈ ગયેલ હાલતમાં ગટરના ગંદા પાણી ભરેલ જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો છે જેથી પોલીસે આ અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જીલુભાઇ ગોગરા ચલાવી રહ્યા છે.






Latest News