ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ઇજા: ગુનો નોંધાયો


SHARE











મોરબીના રંગપર પાસે રિક્ષા ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનને ઇજા: ગુનો નોંધાયો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાના પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઈકને રિક્ષા ચાલકે અડફેટે લીધૂ હતું જેથી યુવાનને હાથે પગે ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે લઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ રિક્ષા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર ગામે રહેતા ભાવેશભાઈ રામજીભાઈ પરમાર (ઉંમર ૨૭) પોતાનું બાઇક નંબર જીજે ૩૬ કે ૬૨૮૬ લઈને રંગપર ગામ પાસે આવેલ ફીનોલાઇટ સિરામિક કારખાના પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર જીજે ૩ એજેડ ૫૯૪૪ ના ચાલક છગનભાઈ સાગઠિયા રહે. બેલા વાળાએ તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત સર્જાયો હતો અને ભાવેશભાઈ પરમારને હાથે પગે ફ્રેક્ચર જેવી ઇજા અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાવેશભાઈએ હાલમાં રિક્ષાચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાર્ટ એટેકથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમા રહેતા લાલજીભાઈ કુંવરજીભાઇ કાલાણી (૯૦) ને ઘરે હાર્ટએટેક આવી જતાં તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને તેઓના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News