મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાં ચાર કાયમી કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામાં પડ્યા, હજુ કેટલાક લાઇનમાં !


SHARE











મોરબી મહાપાલિકામાં ચાર કાયમી કર્મચારીના સ્વૈચ્છિક રાજીનામાં પડ્યા, હજુ કેટલાક લાઇનમાં !

નવરચિત મહાપાલિકા દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે થઈને ટ્રાફિક સહિતના મુદ્દાઓ ઉપ ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ જો વાત કરીએ મહાપાલિકાના સ્ટાફની તો નગરપાલિકામાંથી મહાપાલિકા બનેલ કચેરીમાં ટાંચા સાધનો અને સ્ટાફનો અભાવ હોવાના કારણે જે કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે તેના ઉપર સતત કામનું ભારણ વધી રહ્યું છે અને એક કર્મચારીને એકથી વધુ ટેબલની જવાબદારી સોંપવામાં આવી છે જેથી હાલમાં એક પછી એક કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં મુકવામાં આવી રહ્યા છે તેવામાં સૂત્ર પાસેથી મળતી વખતે પ્રમાણે મહાપાલિકાના ચાર કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રાજીનામાં મૂકી દેવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક કર્મચારીઓ રાજીનામાં મુકવાની તૈયારીમાં છે

મોરબી મહાપાલિકા બન્યા બાદ રોડ રસ્તાની આજુબાજુમાં ખટકાયેલા દબાણ દૂર કરવા માટેની કામગીરી ચાલી રહી છે તેની સાથોસાથ જુદા જુદા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેવી કર્મચારીઓ પાસેથી કામગીરી લેવામાં આવી રહી છે ત્યારે મહાપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ છેલ્લા દિવસોમાં મહાપાલિકાના ચાર જેટલા કર્મચારીઓ દ્વારા પોતાના સ્વૈચ્છિક રાજીનામાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને ધરી દેવામાં આવ્યા છે સૂત્રોના કહેવા મુજબ મહાપાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા નિરંજનભાઇ ભટ્ટ, વોટર વર્કસ વિભાગમાં ફરજ બજાવતા હર્ષદભાઈ કંસારા, વ્યવસાય વેરા વિભાગમાં ફરજ બજાવતા જગદીશભાઈ સોલંકી તેમજ લાખુભા ઝાલા નામના ચાર કર્મચારીઓ દ્વારા મહાપાલિકામાંથી પોતાના સ્વૈચ્છિક રાજીનામાં રી દીધા છે. અને હજુ પણ કેટલાક કર્મચારીઓ પોતાના રાજીનામાં તૈયાર કરીને હાથમાં લઈને મહાપાલિકામાં આંટા મારી રહ્યા છે અને ગણતરીના દિવસોમાં તેમના રાજીનામાં પણ કમિશનરના ટેબલ ઉપર પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીએ છે કે, મોરબી નગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાફની ભરતી કરવામાં આવી ન હતી જેથી કરીને આંગળીના ટેરવે ગણી શકાય તેટલા કાયમી કર્મચારીઓ ઓફિસ વર્કમાં હતા અને મોટાભાગના રોજમદાર અને હંગામી કર્મચારીઓને કામે રાખીને નગરપાલિકાનું ગાડું ગબડાવવામાં આવી રહ્યું હતું તેવામાં નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે જો કે, કર્મચારીઓ હતા તેમાં નવા કર્મચારીઓનો હાલમાં ઉમેરો થયેલ નથી. પરંતુ જે કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે તેમાં એક કર્મચારી પાસે લગભગ બે થી પાંચ ટેબલ સુધીની કામગીરી સોંપવામાં આવી છે જેથી ઓવરલોડ કામગીરી કે અન્ય કોઈપણ કારણોસર હાલમાં મહાપાલિકા કચેરીમાં સ્વૈચ્છિક રાજીનામાં પડવા લાગ્યા છે વધુમાં સૂત્રોના કહેવા પ્રમાણે વર્ષો જુના કાયમી કર્મચારીઓને કોમ્પ્યુટર ન આવડતા હોવાના કારણે તેઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કોમ્પ્યુટર સિસ્ટમ ન હોવાથી તેમજ સ્ટાફ પૂરતો ન હોવાથી અને ટાંચા સાધનોથી કામ કરવાનું હોવાના કારણે કેટલાક કર્મચારીઓ સ્વૈચ્છિક રાજીનામાં મૂકી રહ્યા હોય તેવું પણ મહાપાલિકા કચેરીમાં ચર્ચા રહેવું છે.






Latest News