મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો


SHARE











મોરબી તાલુકા શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિન ઉજવાયો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી તાલુકાની પાંખ દ્વારા કર્તવ્ય બોધ દિનની ઉજવણી કરવામાં આવી હતી અખિલ ભારતીય સ્તરેથી નિશ્ચિત થયેલ કાર્યક્રમ કર્તવ્ય બોધ દિનની ઉજવણી તાલુકા સ્તરે કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ 12 મી જાન્યુઆરીથી શરૂ કરી શુભાષચંદ્ર બોઝ નેતાજીની જન્મ જ્યંતી સુધીમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે,એ અન્વયે નીલકંઠ વિદ્યાલય મોરબી ખાતે વિપુલભાઈ અધારા સૌરાષ્ટ્ર સંભાગ પ્રચાર પ્રમુખ દિનેશભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, સંદીપભાઈ આદ્રોજા વગેરેશૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ, આચાર્યો,શિક્ષકોની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો હતો.  ત્યારે સ્વામી વિવેકાનંદજી અને શુભાષચંદ્ર બોઝ નેતાજીના જીવન કવન વિશે અને પંચ પરિવર્તન કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય,પર્યાવરણની જાળવણી, સામાજિક સમરસતા, સ્વ આધારિત સમાજ રચના વગેરે વિશે વાતો કરી હતી.




Latest News