મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો


SHARE







મોરબીમાં વેપારી યુવાને પોલીસમાં કરેલ અરજીનો ખાર રાખીને ત્રણ શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર માર્યો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરી વિશ્વકર્મા પાર્કમાં રહેતા વેપારી યુવાને તેની સામેના ભાગમાં દુકાન ધારવતા વેપારી પાસેથી અગાઉ રૂપિયા લીધેલ હતા અને તે બાબતે તેણે પોલીસમાં અરજી કરી હતી અને ત્યારબાદ તેમાં સમાધાન થઈ ગયું હતું. જોકે તે બાબતનો ખા રાખીને સામેવાળા વેપારી અને તેના ભાઈ સહિત ત્રણ શખ્સોએ યુવાન સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યાર બાદ લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા વેપારી યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં. 8 માં રહેતા મિથુનભાઈ મોહનભાઈ કુંઢનાણી (39હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ ઉર્ફે જીગો વિનોદભાઈ ખખ્ખ, તેના ભાઈ કાનાભાઈ વિનોદભાઈ ખખ્ખઅને જયરાજભાઇ કાનાભાઈ રહે. તમામ મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભગવતી ટ્રેડિંગ નામની તેની દુકાન આવેલ છે અને તેની સામે આરોપી ચિરાગભાઈખ્ખની મહાવીર ટ્રેડિંગ નામની દુકાન આવેલ છે અને અગાઉ ચિરાગભાઈખ્ખર પાસેથી ફરિયાદીએ રૂપિયા લીધેલા હતા અને તે બાબતે પોલીસમાં અરજી કરેલ હતી જો કે, તે બાબતે સમાધાન થઈ ગયું હતું તો પણ તેનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદીની દુકાન પાસે આવીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારે ફરિયાદીગાળો આપવાની ના પાડતા ચિરાગભાઈખ્ખરે લાકડાના ધોકા વડે ફરિયાદીને જમણા પગના ઢીચણના ભાગે માર માર્યો હતો તથા અન્ય બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારીને ઈજા કરી હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News