મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસટી ડેપો,આ મેનેજરની નિમણૂક કરવાની મઝદૂર સંઘની માંગ


SHARE











વાંકાનેરમાં એસટી ડેપો, મેનેજરની નિમણૂક કરવાની મઝદૂર સંઘની માંગ

વાંકાનેર એસટી ડેપોમાં છેલ્લા ઘણા સમયથી કોઈ ડેપો મેનેજર નથી જેથી કરીને રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા વાંકાનેરમાં ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને તે મુદે વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરાઇ છે.

હાલમાં રાજકોટ વિભાગ એસટી મઝદૂર સંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ  છે કે, વાંકાનેર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડેપો મેનેજર નથી જેથી કરીને વાંકાનેર ડેપોના કર્મચારીઓને કોઈ રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પ્રશ્ન ઊભો થાય છે અને સંગઠન કક્ષાએ વાંકાનેર ડેપોમાં કોઈપણ બાબતની જાણકારી લેવી હોય તો મળી શકતી નથી. જેથી કરીને ડિવિઝન કક્ષાએથી તાત્કાલિક વાંકાનેર ડેપો મેનેજનો ચાર્જ કોઈને આપવામાં આવે આઠવ તો કાયમી ડેપો મેનેજર મૂકવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News