ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE











ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

હાલમાં ગુજરાતના બે લોકસાહિત્યકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કહ્યું છે કે “સ્ટેજ ઉપર કલાકારો ઝઘડા કરે અને વિવાદ કરે તે યોગ્ય ન કહેવાય અને સમાજને એક કરવાનું કામ કલાકારે કરવું જોઈએ તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે.

હાલમાં જુદા જુદા વિષયનો લઈને કલાકારો વચ્ચે અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે તેવામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે અને છેલ્લે યોજાયેલ લોક ડાયરામાં દેવાયત ખવડે જે સ્ટેજ ઉપરથી વાત કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આગામી દિવસોમાં બ્રીજરાજદાન ગઢવીનો પણ લોકડાયરો યોજવાનો છે ત્યારે આનો જવાબ લોક ડાયરાના માધ્યમથી જ આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે “કલાકારો અંદરો અંદર લડે, સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય જેથી કરીને કોઈ પણ ઝઘડા હોય કે વિવાદ હોય તો તેનો અંત લાવવો જોઈએ અને સમાજને એક કરવા માટેનું કામ કલાકારોએ કરવું જોઈએ” તેવી અપીલ તેઓએ કરેલ છે વધુમાં તેમણે એવી પણ ટકોર કરી છે કે “લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ” અને તેના માટે થઈને સમાજે ધ્યાન રાખવું જોઈએ. આટલું જ નહીં તેમણે તો એવું પણ કહ્યું હતું કે, “કલાકારોના બોલવાથી ઘણી વખત કુટુંબ કે ભાઈઓમાં થતા ઝઘડા અને વિવાદ પણ પૂરા થઇ જાય છે ત્યારે આવા સમયે કલાકારો વચ્ચે ઝઘડા થાય અને સ્ટેજ ઉપરથી નિવેદનો આપવામાં આવે તે યોગ્ય ન કહેવાય.






Latest News