મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો


SHARE













મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો નવરંગ માંડવો યોજાયો

મોરબીમાં આઈ મચ્છો યુવા ગૃપ દ્વારા તા 1 ને બુધવારે આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનો 24 કલાક નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં દરબાર ગઢ પાસે આવેલ આઈ શ્રી કોઠાવાળા મચ્છુ માતાજીનું મંદિર આવેલ છે ત્યાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા 1 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી રોપણ, 10 વાગ્યે સામૈયા, 11 વાગ્યે મહાપ્રસાદ, રાત્રે 10 વાગ્યે ડાકનો કાર્યક્રમ યોજાશે અને તા 2 ના રોજ સવારે શુભ ચોઘડિયે થાંભલી વધામણાં કરવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં રાવળદેવ હરેશભાઇ પનારા (ટંકારા વાળા) અને રાવળદેવ વિરમભાઈ પનારા (ટંકારા વાળા) ડાકની રમઝટ બોલાવશે. જેથી ધર્મ પ્રેમી લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે.






Latest News