વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન


SHARE











ગુડ ગવર્નસ ડે: મોરબી-કચ્છના સાંસદ દ્વારા અટલજીના જન્મદિને લાભાર્થી સન્માનના કાર્યક્રમનું ભુજમાં આયોજન

કચ્છ લોકસભા દ્વારા તા. 25 ના પુર્વ વડા પ્રધાન ભારતરત્ન અટલજીના જન્મદિને સુશાસન દિવસે સરકારની યોજનાઓના પ્રચાર-પ્રસાર લાભાર્થીઓને લાભ અને સન્માનનો કાર્યક્રમ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા રાખવામા આવેલ છે. ત્યારે ગુડ ગવર્નસ ડેની ઉજવણી અને ભારત રત્ન અટલજીને યાદ કરવાનો સુવર્ણ અવસરે સહભાગી બનવા જાહેર જનતાને પધારવા  સાંસદએ અપીલ કરે છે.

પુર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી બાજપેયીજીની જન્મ દિને ડિસેમ્બર 25 તારીખે દર વર્ષે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. સરકારમાં જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતિ-સભાનતા લાવવા માટે સુશાસન દિન મનાવવામાં આવે છે. જન્મ જયંતિ નિમિતે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર અંતર્ગત ચાલીત યોજનાઓ ના પ્રચાર-પ્રસાર અર્થે લાભાર્થીઓને લાભ આપવા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા સુશાસન દિવસ ઉજવવાનું આયોજન ભુજ અદાણી ઓડીટોરિયમ, જી.કે. હોસ્પિટલ મધ્યે સાંજે 4 કલાકે કરવામાં આવેલ છે.

જેમાં મુખ્યત્વે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, નમો સરસ્વતી, નમો લક્ષ્મી યોજના,પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વિધા લક્ષ્મી યોજના, સહિતના લાભર્થીઓને લાભ આપવા તથા સન્માન કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વધુમાં સાંસદએ જણાવ્યુ હતું કે, સામાન્ય વર્ગ માટે ઉપરોક્ત યોજનાઓ ખુબજ લાભદાયી છે. જેનો પ્રચાર પ્રસાર વધુ ને વધુ થાય જેથી જનતા તેનો વધુમાં વધુ લાભ લઇ શકે સ્વ રોજગારી માટે તક મળે, ઉર્જા બચત સુર્ય ઘર યોજના હેઠળ થઇ શકે, મહિલાઓ, બાળકો, વિધાર્થીઓ લાભ લઇ શકે, તેમને માર્ગદર્શન માટે આ કાર્યક્રમ આશીર્વાદ રૂપ બનશે. 






Latest News