મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે: કાંતિભાઇ અમૃતિયા


SHARE







મોરબીમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી પાસે આજે લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ સહિતના 66 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે, “ જીલ્લામાં જે સરપંચ, કોન્ટ્રાકટર અને અધિકારી સારું કામ કરતાં હશે તેઓનું જાહેરમાં સન્માન કરવામાં આવશે, જો કોઈ નબળું કામ કરશે તો તેની  સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

મોરબી જીલ્લામાં ધડોધડ મંજૂર કરવામાં આવેલ કામના ખાતમુહૂર્ત કરવામાં આવે છે અને કામ પૂરા થયા પછી તેના લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે મોરબીના આવેલ ત્રાજપરમાળિયા-વનાળીયાજવાહરનગર તથા ભડિયાદ જિલ્લા પંચાયતની સીટમાં આવતા ગામોમાં જે વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા તેનું આજે ક્રિષ્ના સિરામિક ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપરાંત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા, કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રા, મોકબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી જીલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, જયોતિસિંહ જાડેજા, સુરેશભાઇ સિરોહીયા, મનુભાઈ સરેસા તેમજ ગૌતમભાઈ સોલંકી સહિતના હજાર રહ્યા હતા.

ત્યારે એક કરોડથી વધુના ખર્ચ બનાવવામાં આવેલ લાયન્સનગર પ્રાથમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત ચારેય ગ્રામ્ય વિસ્તારમાં કોમ્યુનીટી હોલભૂગર્ભ ગટર, પીવાના પાણીની પાઈપ, પેવરબ્લોક, કોઝવેના કામ વિગેરે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે જીલ્લામાં જે સરપંચો, કોન્ટ્રાકટરો અને અધિકારીઓએ દ્વારા સારું કામ કરવામાં આવશે તેઓનું સન્માન કરવામાં આવશે અને નબળું કામ કરવામાં આવશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત તેઓએ સરકારો દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને જે યોજના અમલમાં મૂકવામાં આવી છે તેનો લાભ લેતા પહેલા દર્દીએ પણ બે થી ત્રણ જગ્યાએ સચોટ નિદાન કરાવવું જોઇએ પછી સરકારી યોજનાનો લાભ લઈને સારવાર કરાવવી જોઈએ તેવી ટકોર કરી હતી.






Latest News