સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર


SHARE











મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર

મોરબીથી નવલખી સુધીના રોડનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને આ રોડ 290 કરોડના ખર્ચે ફોરલેન બનાવવામાં આવશે તેની સાથે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવાનું કામ અને બે ઓવરબ્રિજનું કામ પણ મંજુર કરાયું છે.

મોરબીથી નવલખી સુધીનો 41 કિલો મીટરનો રસ્તો હાલમાં 10 મીટર પહોળો છે જો કે, તેને ફોરલેન બનાવવા, જરૂરી નવા પૂલ-નાલા બનાવવા અને જૂના પુલની રેસ્ટોરેશનની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 290.20 કરોડ મંજૂર કર્યા છે તેમજ કોસ્ટલ હાઈવે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને અન્ય આનુષંગિક કામ માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 23.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. અને બે રેલ્વે ફાટક આ રોડ ઉપર આવે છે ત્યા ઓવરબ્રિજ બનાવવા અને મંજૂર થયેલા આ કામો માટેની પ્રિકન્સ્ટ્રકશનની કામગીરી અને કન્સલટન્સી ડીપીઆર કામગીરી માટે 13.30 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને લક્ષમાં લઈને નવલખી બંદરના વિકાસ માટે આ તમામ કામોને મંજૂર કરવામાં આવેલ છે જેથી તેમની રજુઆત સફળ રહી છે. અને નવલખી બંદરના વિકાસને પણ વેગ મળશે.






Latest News