મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે


SHARE











કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે

રામદેવરા (રણુજા) રાજસ્થાન બાબા રામદેવપીર સમાધી સ્થાનની પાવન ભુમી પર જય બાબેરી ધર્મશાળા, જૈન મંદિરની બાજુમાં તા.૦૭/૧૨/૨૦૨૪ શનિવારે કાર્યક્રમનું આયોજન રાખવામા આવેલ છે. બાબા રામદેવ સેવા સમિતિ એવમ રામદેવ ભક્ત સંગમ દ્વારા આનંદસિંહ તંવરના નેજા હેઠળ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં બાબા રામદેવજી મહારાજના ભક્તજનોને રણુજા પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે.

કચ્છ મોરબીના સાંસદ અને બાબા રામદેવજી મહારાજના અનન્ય ભક્ત વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાપકો તરફથી કરવામાં આવેલ છે. અને યાત્રીક ભવન ભુમી પુજન, જમ્મા જાગરણ, સ્નેહ મિલન એવમ સંતોના આશીર્વાદ પાટકોરી - મહા પ્રસાદ તથા સંતવાણી, મહાનુભાવોનું સન્માનનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. ૨૦૨૪ લોકસભા ઇલેક્સનમાં  વિનોદભાઇ ચાવડાને ફરી ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે અને મોટી લીડથી તેઓ વિજયી બને માટે તેમના સ્નેહીજનો, મિત્રો તરફથી શુભકામના પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ સૌને આ પ્રસંગે સાંસદ તરફથી રણુજા બાબા રામદેવજી મહારાજના દર્શન અને શુભકામના પુર્ણ કરવાનું ભાવપુર્ણ નિમંત્રણ પણ પાઠવેલ છે. દર બીજના દર્શનાર્થે આવતા શ્ર્ધાળુઓ ભક્તજનોને પણ ઉપસ્થિત રહેવાનું બાબા રામદેવ સેવા સમિતિ, રામદેવ ભક્ત સંગમ કચ્છ અને સમિતિ સચિવ ખેતમલ શર્મા, રાષ્ટ્રીય સંયોજક હરજીવન મારવાડા તથા ગુજરાત પ્રદેશ સંયોજક પ્રકાશ કુમાર બારોટે નિમંત્રણ આપેલ છે.




Latest News