મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે


SHARE











કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે

રામદેવરા (રણુજા) રાજસ્થાન બાબા રામદેવપીર સમાધી સ્થાનની પાવન ભુમી પર જય બાબેરી ધર્મશાળા, જૈન મંદિરની બાજુમાં તા.૦૭/૧૨/૨૦૨૪ શનિવારે કાર્યક્રમનું આયોજન રાખવામા આવેલ છે. બાબા રામદેવ સેવા સમિતિ એવમ રામદેવ ભક્ત સંગમ દ્વારા આનંદસિંહ તંવરના નેજા હેઠળ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં બાબા રામદેવજી મહારાજના ભક્તજનોને રણુજા પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે.

કચ્છ મોરબીના સાંસદ અને બાબા રામદેવજી મહારાજના અનન્ય ભક્ત વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાપકો તરફથી કરવામાં આવેલ છે. અને યાત્રીક ભવન ભુમી પુજન, જમ્મા જાગરણ, સ્નેહ મિલન એવમ સંતોના આશીર્વાદ પાટકોરી - મહા પ્રસાદ તથા સંતવાણી, મહાનુભાવોનું સન્માનનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. ૨૦૨૪ લોકસભા ઇલેક્સનમાં  વિનોદભાઇ ચાવડાને ફરી ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે અને મોટી લીડથી તેઓ વિજયી બને માટે તેમના સ્નેહીજનો, મિત્રો તરફથી શુભકામના પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ સૌને આ પ્રસંગે સાંસદ તરફથી રણુજા બાબા રામદેવજી મહારાજના દર્શન અને શુભકામના પુર્ણ કરવાનું ભાવપુર્ણ નિમંત્રણ પણ પાઠવેલ છે. દર બીજના દર્શનાર્થે આવતા શ્ર્ધાળુઓ ભક્તજનોને પણ ઉપસ્થિત રહેવાનું બાબા રામદેવ સેવા સમિતિ, રામદેવ ભક્ત સંગમ કચ્છ અને સમિતિ સચિવ ખેતમલ શર્મા, રાષ્ટ્રીય સંયોજક હરજીવન મારવાડા તથા ગુજરાત પ્રદેશ સંયોજક પ્રકાશ કુમાર બારોટે નિમંત્રણ આપેલ છે.






Latest News