મોરબી આઈ.ટી.આઈ.માં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ
SHARE
મોરબી આઈ.ટી.આઈ.માં ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશ પ્રક્રીયા શરૂ
ગુજરાત રાજ્ય, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જીલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા,તથા વાંકાનેર,ની યાદી જણાવે છે કે આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશશત્ર ઓગસ્ટ – ૨૦૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે.જેમાં પ્રવેશ મેળવવા માટે તા-૧૦/૧૧/૨૦૨૧ ના રોજથી પાંચમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.
ઓનલાઇન ભરેલા ફોર્મ આઈ.ટી..આઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા. ૧૫/૧૧ છે.જેથી પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી ઓનલાઈન પ્રવેશફોર્મ પરથી ભરી શકશે.અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂl. ૨૦/- ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે જે તે નજીકની સરકારી .ટી.આઇઆઇ ખાતે રુ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે. જે ઉમેદવારોએ અગાઉ .ટી.આઇઆઇ.માં પ્રવેશ લેવા માટે ઓનલાઈન પ્રવેશફોર્મ ભરેલ હોય અને કોઈ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તો તેવા ઉમેદવારોએ અગલથી રૂ! ૫૦/- રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશફોર્મ,રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબધીત આઈ.ટી.આઈ ખાતે નવીન અરજી ફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે.આઈ.ટી..આઈ ખાતે પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત રહેશે. ઉમેદવારે જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે. વધુ માહિતી માટે 9601100638, 9712157417 અને 8320169599 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે