ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ ઉપર વાહન વ્યવહાર કરાયો બંધ 


SHARE











મોરબીમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ સુધીના રોડ પર વાહન વ્યવહાર કરાયો બંધ 

મોરબી શહેરમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હાલમાં જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે જેમાં જે વૈકલ્પિક વ્યવસ્થા બતાવવામાં આવી છે તેમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ મચ્છીપીઠ રોડ ઉપરથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે પૂનમ કેસેટથી વિજય ટોકીઝથી જુના બસ સ્ટેન્ડ થઈ અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન થઈ જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે., ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિજય ટોકિઝ થઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈ નવાડેલા રોડ પરથી જુના બસ સ્ટેન્ડ તરફ જઈ મચ્છીપીઠ રોડ તથા અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન તરફથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ પર જઈ શકાશે. અને હાલમાં જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે આગામી તા 11 ડિસેમ્બર સુધી અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

મોરબીમાં સંકલનની બેઠક મળશે

મોરબી જિલ્લા સંકલન અને સહ ફરિયાદ સમિતિની નવેમ્બર માસની બેઠક આગામી તા 22/11 ના રોજ યોજાનાર હતી. અનિવાર્ય કારણોસર આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અનુસાર જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક હવે 29/11 ના રોજ યોજાશે. અન્ય તમામ વિગતો યથાવત રહેશે તેવું નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવ્યું છે.






Latest News