મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE











ટંકારાના લજાઈ નજીક કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર લજાઈ ગામ નજીક કાર ચાલકે બે યુવાનોને લીધા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને તે પૈકીના એક યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગમાં આવેલ ઈશ્વર આર્યનગરમાં રહેતા વિકાસ નરેશભાઈ ચંદવાણી (32) અને કુલદીપ કિર્તીભાઈ ધાનાણી (27) નામના બે યુવાનોને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ જાઈ ચોકડીથી ઉમા સંસ્કારધામ વચ્ચેના ભાગમાં અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેથી ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં વિકાસ ચંદવાણીને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

તરુણ સારવારમાં

મૂળ છોટાઉદેપુર ગામના રહેવાસીને હાલમાં જોધપર ગામ પાસે રહેતા વેરસીંગભાઇ રાઠવાનો 15 વર્ષનો દીકરો જયદીપ બાઈકમાંથી કોઈ કારણોસર પડી જતા તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

આધેડ સારવારમાં

ટંકારા તાલુકાના ભુકોટડા ગામે રહેતા વસંતભાઈ અમરશીભાઈ જરીયા (53) નામના આધેડ બાઈકમાં સાલ ઓઢીને બેઠા હતા ત્યારે બાઈકના વ્હીલમાં સાલ આવી જવાના કારણે તેઓ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

પડધરી તાલુકાના ખાખળાબેલા દરબારવાસમાં રહેતા દશરથમાં રણજીતસિંહ જાડેજા (56) નામના મહિલા વાડીએથી બાઇકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કોઈ કરણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થતી સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News