મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી


SHARE







મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી

દિવાળી વેકેશન સરકારે જાહેર કર્યું છે જે પૂરું થયું ન હતું ત્યાર મોરબીમાં કેટલીક ખાનગી શાળાની બસોમાં વિદ્યાર્થીઓને લઈ જતાં જોય તેવા વિડીયો વાઇરલ થયેલ હતા જેથી કરીને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને જો ખરેખર કોઈ શાળામાં સરકારનો વેકેશનનો પરિપત્ર હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હોવાનું સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ છે.

ગુજરાતમાં સરકાર દ્વારા  21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જે વેકેશન ચાલી રહ્યું છે. તેવામાં બે દિવસથી મોરબીના મુખ્ય માર્ગ સનાળા રોડ, ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં શાળાના વિદ્યાર્થીઓને લાવવા તથા મુકવા માટે થઈને દોડતી ખાનગી શાળાઓની બસોમાં વિદ્યાર્થીઓને લઈ જતાં હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેથી કરીને ગઇકાલે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને વેકેશન દરમ્યાન સરકારના પરિપત્રનો ઉલાળીયો કરીને શૈક્ષણિક કાર્ય શરૂ કરનાર ખાનગી શાળાના સંચાલકો સામે પગલાં લેવાની માંગ કરી હતી આ બાબતે આજે મોરબી જિલ્લાના ઇન્ચાર્જ શિક્ષણાધિકારી પ્રવીણભાઈ આંબરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડિયો ધ્યાને આવેલ છે અને તેના આધારે તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે અને જો વેકેશન દરમ્યાન કોઈ ખાનગી શાળામાં શિક્ષણ કાર્ય કરાવવામાં આવતું હોવાનું સામે આવશે તો તે શાળાની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે.






Latest News