મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેર-અમરસર રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન આડે પડતુ મુકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેર રેલવે સ્ટેશન અને અમરસર રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ અંગેની રેલવે પોલીસ દ્વારા નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે તા. 31/10 ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેર રેલ્વે સ્ટેશન અને અમરસર રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થતી ઓખા બનારસ ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા 30 વર્ષના યુવાને આપઘાત કર્યો હતો અને ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે તે યુવાનોનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ અંગેની આગળની તપાસ વાંકાનેર રેલ્વે પોલીસમાં ફરજ બજાવતા કુલદીપસિંહ ઝાલા ચલાવી રહ્યા છે વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને બદામી કલરનું આખી બાયનું ટીશર્ટ પહેરેલ, કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે તેના જમણા હાથની કલાઈ ઉપર અંગ્રેજીમાં "કે કે" ત્રોફાવેલ છે જેથી કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે અને મૃતક યુવાનના પરિવારજનો અથવા તો ઓળખીતા લોકોએ કુલદીપસિંહ ઝાલાના મોબાઈલ નંબર 91735 55538 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે






Latest News