મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

સ્વામી દયાનંદ સરસ્વતીજીની આજે પુણ્યતિથિ : આસો વદ અમાસ ને દિવાળી ૩૦ એપ્રિલ ઓક્ટોબર, ૧૮૮૩


SHARE











સ્વામી દયાનંદ સરસ્વતીજીની આજે પુણ્યતિથિ : આસો વદ અમાસ ને દિવાળી ૩૦ એપ્રિલ ઓક્ટોબર, ૧૮૮૩ 


જન્મ: ટંકારા-ગુજરાત
● ૨૧ વર્ષની આયુમાં ગૃહત્યાગ કરી, તેમણે *સ્વામી પૂર્ણાંનંદજી* પાસેથી દીક્ષા ગ્રહણ કરેલ. 

● વર્ષ ૧૮૭૫માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરેલ. 

● સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સ્પષ્ટ કર્યું છે કે, 'વેદોમાં જાતિગત ભેદભાવને કોઈ સ્થાન નથી. માટે હું છુઆ અછુત એવા કોઈ ભેદભાવને માનતો નથી. આપણે સૌ આર્ય છીએ તથા બધાને જનોઈ ધારણ કરવી જોઈએ.' આ પ્રકારે સ્વામીજીએ જાહેર કર્યું છે કે યજ્ઞ કરવાનો અધિકાર સૌને છે.સ્વામીજીએ પછાત-અસ્પૃશ્ય વર્ગમાંથી હજારો એવા લોકો ઊભા કર્યા કે જે યજ્ઞ કરાવે છે.

● મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ વિધર્મી અત્યાચારોથી હિન્દુમાંથી વટલાયેલા અનેક ભાઈઓને પુનઃ હિંદુ સમાજમાં ઘરવાપસી કરાવવા સુદ્ધિ આંદોલન ની પ્રથમ શરૂઆત કરાવી હતી.
 
● સ્વામીજીએ વર્ષ ૧૮૭૪માં સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. તેમાં વિશ્વ ના તમામ સંપ્રદાયો માં ચાલતી ખોટી પ્રણાલી નું ખંડન કર્યું જેમાં તેમણે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના અનેક સિદ્ધાંતોનું વિશ્વમાં પ્રથમવાર ખંડન કરનાર અને સનાતન હિંદુ ધર્મની શ્રેષ્ઠતા સાબિત કરી કરનાર.

● સ્વામીજી એટલે સ્વરાજ શબ્દનો પહેલીવાર ઉપયોગ કરનાર. 
તેમણે કહ્યું, કોઈ ગમે તેટલું કહે તો પણ સ્વદેશી રાજ્ય જ સર્વોપરી છે અને વિદેશી રાજ્ય કેટલું પણ સારું કેમ ન હોય તે કલ્યાણકારી નથી. એમની પ્રેરણાથી ભારત દેશના સ્વતંત્ર સંગ્રામ માં આહુતિ આપનારા  મોટાભાગ ક્રાંતિકારી આર્યવીરો હતા.
વિશ્વના કોઈ પણ સુધારકે એકાદ ખોટી પ્રણાલી માં સુધાર કર્યો હશે 
પરંતુ વિશ્વ ચાલતી તમામ ખોટી પ્રણાલી નો વેદ આધારિત ખંડન કરી  વેદ તરફ પાછા વળો નો નારો આપી સત્ય સનાતન વેદિક ધર્મ ની વિજ્ઞાનતા સાબિત કરી હતી.
ઉદા. ઈશ્વર વિશે અનેક ભ્રાંતિ દૂર કરનાર,વિધર્મી દ્વારા કરવામાં આવેલ વિકૃત શાસ્ત્રો ને શુદ્ધ રૂપ આપનાર ,યોગ અને આયુર્વેદ ને સ્વાભિમાન અપાવનાર ,જાતિ પ્રથા વેદ માં નથી સિદ્ધ કરનાર,એક ધર્મ સનાતન,એક ભાષા હિન્દી,એક ભૂષા ને સ્વાભિમાન અપાવનાર ,યજ્ઞ નું વિજ્ઞાન સમજાવનાર,નારી શક્તિ ની પુનઃ ઓળખ કરાવનાર ,કન્યા ગુરુકુળ શરૂ કરનાર,અનાથ આશ્રમ ની સ્થાપક ,સતીપ્રથા વિરોધ,વિધવા વિવાહ શરૂ કરનાર ,બહુ પત્ની પ્રથા વિરોધ કરનારા ,ગ્રહ ,નક્ષત્ર ,પિતૃ તર્પણ તથા વ્યક્તિ પૂજા ના પ્રખર વિરોધી તથા વેદો માં તે નથી સિદ્ધ કરનાર,સોળ સંસ્કાર વિધિ,ગૌ રક્ષા તથા પશુ સંવર્ધન ના હિમાયતી ,સારા નામો રાખવાની પ્રથા શરૂ કરાવનાર,મૃત્યુ ભોજન તથા મૃત્યુ પછીની ખોટી વિધિ ની પ્રથા બંધ કરાવનાર જેવી અનેક કુરીતિઓ દૂર કરનાર હે મહર્ષિ દયાનંદ આપની પુણ્ય તિથિ પર આપને 
સત સત વંદન .

#રાષ્ટ્રીય_વિમર્શ  .. ચલો...ભારતીય આપણે...સનાતન સંસ્કૃતિના સથવારે...'સ્વ' જગાવી 'સ્વ' આધારિત સ્વરાજ્ય સાકાર કરીએ.

મહાપુરુષોના જીવનને જાણવા....




Latest News