મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર


SHARE













માળીયા (મી)માં વીજ ચેકિંગમાં ગયેલા કર્મચારી ઉપર હુમલો કરવાના ગુના પકડાયેલા બંને આરોપીના જામીન મંજૂર

માળીયા (મી)માં જનરલ સ્ટોર નામની દુકાનમાં વીજ ચેકિંગ માટે ગયેલા કર્મચારીને માર મારવામાં આવ્યો હતો અને તેની ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી જેથી વીજ કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે બે શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરીને તે બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા ત્યાર બાદ વકીલ મારફતે બંને આરોપીના જામીન માટેની અરજી કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે

આ કેસની વિગત ઉપર નજર કરીએ તો મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સવજીભાઈ ડામોર (40)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવાબ ઈસુબભાઈ જેડા રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળિયા અને ફૈજાન મુરાદભાઈ જામ રહે. મૂળ કાજરડા હાલ રહે માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા અન્ય કર્મચારીઓ ઉપરી અધિકારીની મૌખિક સૂચનાથી માળીયા મીયાણા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે રેલવે ફાટક ની અંદર આવેલ જનરલ સ્ટોર નામની દુકાનમાં નવાબ જેડા તથા ફૈજાન જામ હાજર હતા અને દુકાનમાં વીજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પૂછતા નવાબ જેડા ઉસકેરાઈ ગયો હતો અને તેને પ્લાસ્ટિકના પાઇપ વડે વીજ કર્મચારી ને ખભા અને ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરી હતી તેમજ ફૈજાન જામે ફરિયાદી અને અન્ય વીજ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ હતા અને ત્યાર બાદ આ આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી અને આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા દ્વારા કરવામાં આવેલ દલીલ તથા હાઇકોર્ટના ચુકાદાને ધ્યાને રાખીને સેશન્સ જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મનીષભાઈ ઓઝા તથા મેનાઝબેન પરમાર રોકાયેલા હતા






Latest News