મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ

ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માહિનામાં પહેલા વરસાદના લીધે ખેતીના પાકમાં નુકસાન થયેલ છે અને આ નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, તેના માટે જરૂરી અરજી કરવા માટેની મુદત આગામી 31 મી તારીખ સુધીની આપવામાં આવેલ છે જેથી આ મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કૃષિમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદના લીધે ખેડૂતોને નુકશાન થયેલ છે અને નુકસાનીનું વળતર મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવા છે અને તે ફોર્મ ભરવા માટેનું કામ તા 25 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 31 સુધીમાં ખેડૂતોએ અરજી કરી દેવાની છે જો કે, દિવાળીનો તહેવાર હોય, સરકારી સાઈટોમાં વધુ લોડ પડવાના કારણે ફોર્મ ભરવામાં તકલીફ થાય તેવી શક્યતા છે જેથી કરીને ખેડૂતોના ફોર્મ ભરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અને 15 દિવસ સુધી ખેડૂતોને ફોર્મ ભરવાની મુદત આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News