મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેડૂતોના નુકસાનનું વળતર માટેના ફોર્મ ભરવાના સમયના વધારો કરવાની માંગ

ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર માહિનામાં પહેલા વરસાદના લીધે ખેતીના પાકમાં નુકસાન થયેલ છે અને આ નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જો કે, તેના માટે જરૂરી અરજી કરવા માટેની મુદત આગામી 31 મી તારીખ સુધીની આપવામાં આવેલ છે જેથી આ મુદતમાં વધારો કરવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કૃષિમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદના લીધે ખેડૂતોને નુકશાન થયેલ છે અને નુકસાનીનું વળતર મેળવવા ખેડૂતોએ ફોર્મ ભરવા છે અને તે ફોર્મ ભરવા માટેનું કામ તા 25 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 31 સુધીમાં ખેડૂતોએ અરજી કરી દેવાની છે જો કે, દિવાળીનો તહેવાર હોય, સરકારી સાઈટોમાં વધુ લોડ પડવાના કારણે ફોર્મ ભરવામાં તકલીફ થાય તેવી શક્યતા છે જેથી કરીને ખેડૂતોના ફોર્મ ભરવા માટેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે અને 15 દિવસ સુધી ખેડૂતોને ફોર્મ ભરવાની મુદત આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News