મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી


SHARE











મોરબી-ટંકારામાં ભાડુંઆત-શ્રમિકોની માહિતી ન આપતા વધુ સાત સામે કાર્યવાહી

મોરબી અને ટંકારા તાલુકામાં મકાન અને દુકાન ભાડે આપીને તેમજ શ્રમિકોને કામે રાખીને પોલીસને તેની જાણ કરવામાં આવી ન હતી જેથી કલેક્ટરના જાહેરનામાના ભાંગના ગુના નોંધવામાં આવે છે તેમાં વધુ સાત આસામીઓ સામે જુદાજુદા પોલીસ સ્ટેશને ગુના નોંધાયેલ છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી ખાતે ફ્લેટ ભાડે આપવામાં આવ્યા હતા જેની પોલીસને જાણ કરી ન હતી જેથી કરીને રવિ શામજીભાઈ કામાણી (34) રહે. ઉમા ટાઉનશીપ મંગલ જ્યોત ડી-બ્લોક 501 મોરબી અને અર્પિત કિશોરભાઈ પલાણ (31) રહે. વસંત પ્લોટ શેરી નં-3 મોરબી વાળા સામે પણ ગુનો નોંધાયો છે તો નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર શેરી નં-1 માં મકાન ભાડે આપવામાં આવ્યું હોવાથી મનોજસિંહ જયવીરસિંહ તોમર (42) રહે. યમુનાનગર મોરબી, ત્રાજપર પાસે બેંકવાળી શેરીમાં દુકાન ભાડે આપી હતી જેથી સુરેશભાઈ વિક્રમભાઈ વરાણીયા (49) રહે. પાવન પાર્ક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે. મકનસર ગામે આવેલ તુલસી રેસીડેન્સીમાં મકાન ભાડે આપ્યું હતું જેથી મુકેશભાઈ ડાયાભાઈ પ્રજાપતિ (47) રહે. મકનસર વાળા સામે ગુનો નોંધાયો છે. ટંકારા નજીક આવેલ દ્વારકાધીશ હોટલ સામે ભંગારના ડેલામાં શ્રમિકો કામ કરતા હતા તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી સાવરલાલ હરજીરામ ગુર્જર (27) રહે. સરદારનગર ટંકારા અને આર્ય નગરમાં આવેલ શ્રી દેવ ભંગારના ડેલામાં કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપી ન હતી જેથી કરીને મોહનલાલ છીતરજીભાઈ ગુર્જર (35) રહે, સરદારનગર ટંકારા વાળા સામે ગુનો નોંધાયો છે






Latest News