ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધે કરેલ આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીના જામીન મંજુર


SHARE











 

મોરબીમાં આપઘાતના ચકચારી બનાવમાં મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તપાસ ચલાવવામાં આવી હતી જેમાં આરોપી વનરાજસિંહ તેજુભા ઝાલા દ્વારા મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા મારફત મોરબી સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા ચકચારી પ્રકરણના ગુનામાં આરોપીના શરતી જામીન સેસન્સ કોર્ટે મંજુર કર્યા છે

જેમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશ ભાઈ ઓઝા તથા ફેનિલભાઈ ઓઝા રોકાયેલ હતા જેની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા હતા આરોપી તરફેના વકીલ જગદીશભાઈ ઓઝા એ કોર્ટમાં ધારદાર દલીલો રજુ કરી હતી તેમજ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરતા દલીલોને માન્ય રાખી સેસન્સ કોર્ટે શરતી જામીન મંજુર કર્યા છે જેમાં આરોપી તરફે મોરબીના વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News