ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન


SHARE











મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મસભાનું આયોજન

મોરબીના વાંકાનેર હાઈવે પર સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્યની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા. 20 ઓક્ટોબરને રવિવારના રોજ બપોરે 3 થી 7 માં આ કાર્યક્ર્મ યોજાશે જેમાં ગૌ દર્શન, જલ દર્શન અને વન દર્શનનો લાભ લેવા માટે લોકોને આયોજકોએ આમંત્રણ આપેલ છે.

મોરબી પાંજરાપોળ ખાતે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજની હાજરીમાં ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં રાજકીય, સામાજિક આગેવાનો તેમજ અધિકારીઓ સહિતના હાજર રહેશે જેથી કરીને આ ધર્મ સભાનો લાભ લેવા માટે અને મહાપ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે વધુમાં મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ)એ જણાવ્યુ છે કે, આજની તારીખે મોરબીની મોરબી પાંજરાપોળમાં ૪૫૦૦ થી વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને તેના માટે મોરબીના ઉદ્યોગકારો તરફથી ખૂબ જ સહકાર આપવામાં આવે છે તેમજ જુદીજુદી સંસ્થાઓ તરફથી પણ આર્થિક સહકાર આપવામાં આવે છે તેમજ મોરબીમાં દર વર્ષે મકરસંક્રાંતિના દિવસે જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામા આવે છે ત્યાં જઈને દાતાઓ સહિતના નગરજનો તરફથી લખો રુપિયાનું દાન આપવામાં આવે છે. આમ મોરબી સિરામિક ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી દર વર્ષે મોરબી પાંજરાપોળના ગૌવંશોની સેવા કરવા માટે લાખો રૂપિયાનું દાન આપવામાં આવે છે. જેના થકી મોરબીની પાંજરાપોળના ગૌવંશોની સેવા અને નિભાવ કરવામાં આવે છે.






Latest News