મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં યુવાને અકળ કારણોસર જીવન ટુકવ્યું


SHARE







મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતા અને માર્કેટિંગનું કામ કરતાં યુવાને અકળ કારણોસર આપઘાત કર્યો

મોરબી બાયપાસ ઉપર જૂની આરટીઓ ઓફિસથી આગળના ભાગમાં આવેલ મચ્છુ -3 ડેમમાં આજે સવારે એક યુવાને કૂદકો માર્યો હતો જે બનાવની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢવામાં આવેલ છે અને મૃતક યુવાન મોરબીની પ્રભુ કૃપા ટાઉનશિપમાં રહેતો અને માર્કેટિંગનું કામ કરતો યુવાન હોવાનું સામે આવ્યું છે અને તેને કયા કારણોસર આ પગલું ભરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડે આવેલ જૂની આરટીઓ ઓફિસથી આગળના ભાગમાં આવેલ મચ્છુ-3 ડેમમાં પુલ ઉપરથી આજે સવારે યુવાને પાણીમાં ઝંપલાવ્યું હતું જેથી મોરબી ફાયર બ્રિગેડને આ બનાવની જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમ ત્યાં પહોચી અને પાણીમાં ડૂબી ગયેલા યુવાનને શોધવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પાણીમાથી ફાયરની ટીમે યુવાનની બોડીને બહાર કાઢેલ છે અને તેને પીએમ માટે લઈ ગયા છે તેવામાં સ્થળ ઉપરથી બે હજાર રૂપિયા, આધાર કાર્ડ, મોબાઈલ અને બાઈક નંબર જીજે 36 જે 9206 મળી આવેલ હતા તેના આધારે પોલીસે યુવાનના પરિવારને શોધવા માટેની કવાયત કરેલ હતી અને વધુમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડિયા પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાનનું નામ પરેશ અમૃતભાઇ કૈલા (36) રહે. પ્રભુ કૃપા ટાઉનશિપ મોરબી અને તે માર્કેટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે જો કે, યુવાને કયા કારણોસર આ પગલું ભરેલ છે તે દિશામાં હાલમાં તપાસ ચાલી રહી છે.






Latest News