મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આરબીઆઇના નિયમો નેવે મૂકીને વ્યાજ વસલૂતી ફાઇનાન્સ કંપની-બેંકો સામે કરાઇ રજૂઆત


SHARE











મોરબીમાં આરબીઆઇના નિયમો નેવે મૂકીને વ્યાજ વસલૂતી ફાઇનાન્સ કંપની-બેંકો સામે કરાઇ રજૂઆત

મોરબીમાં ફાયનાન્સ કંપનીઓ અને બેંકો આરબીઆઇના નિયમો નેવે મૂકીને ગ્રાહકો પાસેથી વ્યાજ અને અનઅધિકૃત ફી લેવામાં આવે છે જેથી કરીને આ બાબતે આરબીઆઇને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરી છે.

હાલમાં લાલજીભાઈ મહેતા દ્વારા જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઘણી ફાયનાન્સ કંપનીની ઓફિસ છે. જે ગ્રાહકોને મકાન લોન, ગોલ્ડ લોન તથા ધંધા માટે લોન આપે છે. પણ તેનું વ્યાજ રીઝર્વ બેંકે નકકી કરેલ ધોરણોથી વધારે લેવામાં આવે છે. અને ચેક રીર્ટન થાય તો ૫૦૦ રૂપિયા પેનલ્ટી, એક હપ્તા રહી જાય તો મન પડે તેવું વ્યાજ, ત્રણ હપ્તા ચડી જાય તો ગાડી ખેંચી લેવી અને ગ્રાહકને જાણ બહાર ગાડી વહેંચી નાખવી, ત્રણ હપ્તા ચડી જાય તો પચ્ચીસ લાખના મકાનને સીલ મારી દેવુ, લેણુ ફકત પાંચ લાખ હોય ઘણી રીતે ગ્રાહકને ત્રાસ સાથે માનસીક પીડા ભોગવવી પડે છે. અને હપ્તા ચડે એટલે કડકાઈથી હપ્તાની ઉઘરાણી આવી પરીસ્થીતીમાં ગ્રાહક જાય કયાં ? ફાયનાન્સની હેડ ઓફિસ ચેન્નાઇ, કોલકતા, બેંગલોર, તથા અન્ય રાજયોમાં છે જો કાનુની કાર્યવાહી કરવી હોય તો જે તે રાજયના જયુડીસીયલ અધિકાર થઈ જાય છે. અને રીઝર્વ બેંક તરફથી આવા અધિકારો આપવામાં આવેલ છે કે, ગ્રાહકને ત્રાસ પીડા કે આપઘાત તરફ જવાની ફરજ પડે. દરેક ફાયનાન્સ, બેંક કે શ્રોફ કંપની બહાર બોર્ડમાં વ્યાજનો દર અને વિગત લખવી જોઇએ. અને ગ્રાહકને લોનના કાગળો આપવા જોઈએ જેથી ગ્રાહકને પૈસા ભરવાની માહીતી મળે આ બાબત પોલીસ ડીપાર્ટમેન્ટે પણ આવી ફાયનાન્સ કંપની નિયમ પ્રમાણે ચાલે છે કે નહી ? તેની તપાસ કરવી જોઇએ. અને જો બીનઅધિકૃત રીતે ચાલતી કંપની હોય તો તેને બ્લેક લીસ્ટમાં મુકવી જોઇએ.






Latest News