મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE







મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી-અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષે આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે  છે તેવી જ રીતે આ વર્ષે 15 માં વર્ષે મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો આ તકે વવાણીયા સ્થિત માતૃશ્રી રામબાઈમાની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ, રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન, તે ઉપરાંત મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી અમુભાઈ હુંબલ, જામનગર શહેર ભાજપ કિશન મોરચાના પ્રભારી ચંદુભાઈ હુંબલ, ઉગાભાઈ રાઠોડ, જીવણભાઈ કુંભારવાડીયા, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ દેવાભાઇ અવાડિયા, જયશ્રીબેન એન. જરૂ, આઇ.એસ. આહીર, નિર્મલભાઈ ગોગરા, ધર્મેન્દ્રભાઈ આહીર, લાખાભાઈ લાવડીયા, વિક્રમભાઈ ખુંગલા, કલ્પનાબેન જરૂ, પીઠાભાઈ ડાંગર, કિરણબેન રાઠોડ, સીતાબેન લાવડીયા, નસંગભાઈ હુંબલ અને જીગ્નેશભાઈ ડાંગર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે આહીર સમાજના 200 વિદ્યાર્થીઓનું સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને 80 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીમાં ક્લાસ 1 અને 2 માં ફરજ બજાવતા આહીર સમાજના સરકારી અધિકારીઓનું અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત કર્મચારીઓનું પણ સમાજના આગેવાનોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેવી માહિતી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ પાસેથી જાણવા મળી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ તેમજ મહામંત્રી મયુરભાઈ ગજીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News