મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પુત્રવધુ ચાલી ગયેલ હોય આધેડે ઝેરી દવા પી લેતા મોત


SHARE











મોરબીમાં પુત્રવધુ ચાલી ગયેલ હોય આધેડે ઝેરી દવા પી લેતા મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે આધેડે ઝેરી દવા પી લેતાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘરની પુત્રવધુ કયાંક ચાલ્યા ગયેલા હોય તે બાબતનું લાગી આવતા તેઓએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું

મોરબીના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા મોટા દહીંસરા ગામે રહેતા જયંતીભાઈ છગનભાઈ કાંજીયા જાતે પટેલ નામના ૫૭ વર્ષીય આધેડે તેઓના ગામ મોટા દહીંસરા ખાતે તેમના ઘેર ઝેરી દવા પી લીધી હતી અને તેઓના મોઢામાંથી ફીણ નિકળતા હોય તે દરમ્યાનમાં તેઓના કૌટુંબિક સગા જયેશભાઈ મગનભાઈ કાંજીયા તેમના ઘેર આવતા તેઓને માળિયાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા અને ત્યાંથી જયંતિભાઇને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જો કે ગઈકાલ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ટૂંકી સારવાર દરમિયાન જયંતીભાઈ છગનભાઈ કાંજીયા નામના ૫૭ વર્ષીય પટેલ આધેડનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતાં માળીયા પોલીસે નોંધ કરીને આગળની તપાસ કરતા ખુલ્યુ હતુ કે જયંતીભાઈ કાંજીયાના પુત્રવધૂ કે જેઓ મોરબી રહેતા હોય અને મોરબી રહેતા પુત્રવધુ કોઈને કંઈ કહ્યા વગર ઘર છોડીને ક્યાંક ચાલ્યા ગયા હોય તે બાબતનું મનોમન લાગી આવતા જયંતિભાઇએ અંતિમ પગલું ભરી લેતા તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. માળીયા પોલીસ મથકના એચ.એમ.મકવાણા તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં પોતાનું ડમ્પર નંબર જીજે ૧૨ બીએફ ૯૫૪૪ ચલાવીને ફૂલ સ્પીડમાં આવીને સામેથી આવી રહેલ ટેન્કર નંબર જીજે ૧૨ બી ડબલ્યુ ૭૭૯૧ સાથે ભટકાતા અકસ્માતે વાહનમાં આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગતા વાહન સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં તેમાં નુકસાન થયેલ છે અને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાશી ગયેલ છે માટે ટેન્કરના ચાલક રોહિતભાઈ ધનજીભાઈ આગરીયા જાતે આહીર (ઉમર ૨૫) રહે.અંતરજાળ તા.ગાંધીધામ વાળાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે.






Latest News