મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામ નજીક ડમ્પર પાછળ કાર અથડાતા યુવાનનુ મોત


SHARE







મોરબીના આંદરણા ગામ નજીક ડમ્પર પાછળ કાર અથડાતા યુવાનનુ મોત

રફાળેશ્વર અને ત્રાજપર ચોકડી પાસે મારામારીમાં બે ઘાયલ

મોરબીના હળવદ રોડ આંદરણા ગામની પાસે આવેલ હોટલની સામે અકસ્માત સર્જાયો હતો જેમા મૂળ યુપીના યુવાનનુ મોત નીપજયુ હતુ. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળ ઉતરપ્રદેશના કાનપુર તા. બીધનીના ટીકરમભાઈ ગામના અને હાલમાં હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામે ગેલકૃપા હોટલ ખાતે રહેતા શ્યામચંદ્ર કૈલાષભાઈ યાદવ (ઉં.35)  નામના યુવાનનુ ગત તા.9-9ના સાંજના પાંચેક વાગ્યે અકસ્માત બનાવમાં મોત નીપજયુ હતુ.

આંદરણા ગામે ગેલકૃપાની સામેથી શ્યામચંદ્ર યાદવ તેની વેગનઆર યુપી-78-એફ 2808 લઈને જતો હતો ત્યારે ગેલકૃપા હોટલની સામે આગળ જતા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા કાર પાછળના ભાગે ઘુસી ગઈ હતી. જેથી ગંભીર ઈજાઓ થવાથી શ્યામચંદ્ર યાદવનુ મોત નીપજયુ હતુ. તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચરે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા
રફાળેશ્વર ગામે રહેતા શાંતિલાલ સાંકેત (ઉં.40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સીવીલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરાયેલ છે.બીજો બનાવ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે બન્યો હતો. જેમા અજાણ્યા ઈસમે માર મારતા લીલાપર ગામે રહેતા બીરજુભાઈ ભરતભાઈ ટાટી (ઉં.50) ને સારવારમાં ખસેડાયા હતા.બી ડીવીઝનના હિતેષભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માત
મોરબીના રહેવાસી નુરઅલી સલીમભાઈ નોતિયાર (ઉં.24) નામનો યુવાન મકનસર જતો હતો ત્યારે રસ્તામાં મકનસર ગામે આવેલ મનોજ પાનની સામે તેનુ મોટરસાયકલ સ્લીપ થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News