મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રા સહિતના આયોજન માટે હિન્દુ સંગઠનોની બેઠક મળી


SHARE







મોરબીમાં જન્માષ્ટમીની શોભાયાત્રા સહિતના આયોજન માટે હિન્દુ સંગઠનોની બેઠક મળી

સર્વે સનાતની હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ જલારામ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવના આયોજન બાબતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા દરમિયાન કેવું આયોજન કરવું તેના વિષયમાં  ચર્ચા કરવામાં આવી હતી અને દર વર્ષે કૃષ્ણ જન્મ ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવું જ આયોજન કરવામાં આવશે.

મોરબીમાં જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રા નીકળશે અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમ કરવામાં આવશે તેમજ હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે અને સર્વે સનાતન હિન્દી સંગઠન અને સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય  બનાવવામાં આવશે અને સર્વે સનાતનની હિન્દુ સંગઠનો સાથે રહીને શોભાયાત્રાનું આયોજન કરશે. અને ખાસ કરીને આ વર્ષે ઘરે ઘરે જઈને હિન્દુ  સમાજને શોભાયાત્રામાં જોડાવા માટે આહવાન કરવામાં આવશે. આ શોભાયાત્રા મોરબીના જડેશ્વર મંદિરેથી પ્રસ્થાન થશે અને મોરબીના રાજમાર્ગો ઉપર થઈને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસર્જન પરિષદ દિલ્હી ગૌરક્ષક, જય મહાકાલ ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, આંતરરાષ્ટ્રીય પરિષદ બજરંગ દળ, હિન્દુ જાગરણ મંચ, એકતા એજ લક્ષ સંગઠન, અર્જુન સેના, શિવસેના, શિવ શક્તિ સેવા સંગઠન, એસએસ ગ્રુપ, શ્યામ મિત્ર મંડળ, જય દ્વારકાધીશ ગ્રુપ, માઁ ગ્રુપ, દલવાડી કનૈયા ગ્રુપ, ગૌ સેવા માનવ ધર્મ ગ્રુપ, જય બજરંગ વ્યાયામ શાળા ગ્રુપ, સ્વસ્તિક ગ્રુપ, શ્રી બાલાજી મિત્ર મંડળ ગ્રુપ, કેસરીનંદન ગ્રુપ, જય વેલનાથ ગ્રુપ, ઠાકોર સેના અને કાલિકા પ્લોટ મિત્ર મંડળ જેવા સંગઠન સહભાગી થશે.






Latest News