ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરમાં અખિલ ભારતીય રાસ શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદન કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારાગુરુ વંદનાનો કાર્યક્રમ ગાયત્રી મંદિર વાંકાનેર ખાતેયો જવામાં આવેલ જેમાં વનીતા વૃંદ માનવસેવા મહિલા પરિવાર જેવી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ દમયંતીબેન મહેતા મહેમાનમાં ઉપસ્થિત હતા. ત્યારે ગાયત્રી મંદિરના મહંત અશ્વિન બાપુ ઉપસ્થિત હતા અને આ કાર્યક્રમમાં મહંત અને શિક્ષક મંગલદાસજી બાપુનું ગુરુ શિષ્ય સંબંધ અને સાચા ગુરુ તરીકે કોણ આ પ્રશ્નોના ઉત્તરમાં 18 પુરાણ હનુમાનજી મહારાજ શ્રીકૃષ્ણ અને ભગવાન શીવના ચરિત્ર અને તેના જે જીવનમૂલ્યો છે તેને જીવનમાં ઉતારી ગુરુના સ્થાને રાખવા જણાવ્યું અનેગુરુના શ્રેષ્ઠ ગુણોને પ્રાપ્ત માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. મહંત અશ્વિન બાપુ દ્વારા પણ ગુરુએ વ્યક્તિ નહીં પરંતુ શક્તિ છે એવુ કહેવામાં આવ્યું હતું અને વાંકાનેર શૈક્ષિક મહા સંઘના પ્રમુખ અશોકભાઈ સતાસિયા દ્વારા સંગઠનનું કાર્ય શિક્ષક પ્રશ્નો માટે તેમજ  રાષ્ટ્રના નિર્માણ માટે છે એવું સમજાવવામાં આવ્યું હતું અને સંગઠનમાં એક રાષ્ટ્ર ભક્તિના ધ્યેય સાથે જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.






Latest News