મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કેન્દ્રના બજેટને નિરાશાજનક ગણાવ્યું: જિલ્લાને અન્યાય 


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કેન્દ્રના બજેટને નિરાશાજનક ગણાવ્યું: જિલ્લાને અન્યાય 

કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાને કોઈ ફાયદો નથી જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કેન્દ્ર સરકારના બજેટને નિરાશ જનક ગણાવ્યું છે અને મોરબી જિલ્લાને અન્યાય થયો છે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીમાં સીરામીક, ઘડિયાળ સહિત અનેક નાના મોટા ઉધ્યોગ આવેલ છે અને સરકારને વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ આપવામાં આવે છે ત્યારે આ બજેટમાં મોરબીના ઉદ્યોગોને કોઈ રાહત આપવામાં આવેલ નથી અને કોઈ ફાયદો પણ કરવામાં આવેલ નથી અને સરકારે મોરબીના ઉદ્યોગપતિઓને અન્યાય કરેલ છે અને કેન્દ્ર સરકાર પાસે ગુજરાત રાજ્યના વિકાસ માટે કોઈ નક્કર આયોજન કે ટેક્સ માફી સહિતની રાહત નથી. આ બજેટ માત્ર ગઠબંધનની સરકારને ટકાવી રાખવા માટે છે. આ બજેટમાં કોંગ્રેસ લોકસભાના ચૂંટણી ઢંઢેરાની કોપી કરવાનો નિષ્ફળ પ્રયાસ છે. ગરીબ, મધ્યમ તથા સામાન્ય પ્રજાને કોઈ લાભ આપ્યો નથી. ખેડૂતો, મહિલાઓ અને પ્રજાના વિકાસને અવરોધક નીવડે તેવું બજેટ છે






Latest News